ભારતના આ ધનવાન ભિખારીઓ છે વૈભવશાળી ફલેટ અને લાખોની સંપત્તિનાં માલિક : જાણીને તમે પણ રહી જશો દંગ

107

ડાયમંડ ટાઇમ્સ
ભિખારી શબ્દ કાને પડતાની સાથે જ લોકોની સમક્ષ લઘર વઘર અવસ્થામાં હાથમાં કટરો લઈને ભીખ માંગતા વ્યક્તિનુ દ્રશ્ય આંખ સામે ઉપસે છે.વળી સવાલ એ થશે કે ભિખારી અને વળી પાછો ઘનવાન ?જી હા આપણે આજે વાત કરી રહ્યા છીએ ભારતના એક ધનવાન ભિખારીની કે જે વૈભવશાળી ફલેટ અને લાખોની સંપત્તિનો માલિક છે.દુનિયામાં દરેક વ્યકિત પોતાનું અને પરિવારનું પેટ ભરવા માટે કોઈ પ્રકારની નોકરી અથવા કામ-ધંધો કરે છે.દરેક લોકોની કમાણી જુદી-જુદી હોય છે

આજે અમો તમને ભારતના પાંચ પૈસાદાર ભિખારીઓ વિશે માહીતિ આપવા જઈ રહ્યા છીએ કે જેઓની પાસે ફલેટ અને લાખોની સંપત્તિ છે.મિડીયા અહેવાલ મુજબ ભારતના સૌથી પૈસાદાર ભિખારીઓના લિસ્ટમાં પહેલું નામ ભરત નામના ભિખારીનું આવે છે.જે મુંબઈમાં ભીખ માગે છે.રિપોર્ટ મુજબ તેની પાસે બે ફલેટ છે.બંને ફ્લેટની કિંમત આશરે રૂપિયા એક કરોડ અને ચાલિસ લાખ છે.તે દર મહિને લગભગ રૂપિયા ૭૫,૦૦૦ની કમાણી ભીખ માગીને કરે છે.

ભારતનાં સૌથી પૈસાદાર ભિખારીઓના લિસ્ટમાં બીજા નંબરે કોલકાતાની લક્ષ્મી નામની મહીલા છે.તેણીએ વર્ષ ૧૯૬૪માં કોલકાતા માં માત્ર ૧૬ વર્ષની ઉંમરે ભીખ માગવાનું શરૂ કર્યું હતું.તેણે જે રૂપિયા ભીખ માગીને અત્યાર સુધીમાં કમાયા તે હાલ બેંકમાં જમા છે. તે દરરોજ ૧ હજાર રૂપિયા ભીખ માગીને કમાય છે અને મહિને ૩૦ હજાર રૂપિયાની કમાણી ભીખ માગીને કરે છે.મુંબઈમાં રહેતી ગીતા પૈસાદાર ભિખારીઓના લિસ્ટમાં ત્રીજા નંબરે છે.તેણે ભીખ માગીને કમાયેલા પૈસામાંથી કથિત રીતે ફલેટ ખરીદ્યો હોવાનું જાણવા મળે છે.તે ભીખ માગીને મહિને ૪૫ હજાર રૂપિયાની કમાણી કરે છે.ચોથા નંબર પર ચંદ્ર આઝાદનું નામ આવે છે.૨૦૧૯માં રેલ્વે દુર્ઘટનામાં ચંદ્ર આઝાદનું નિધન થઈ ગયું હતું. બાદમાં પોલીસને તેની સંપત્તિ વિશે જાણવા મળ્યું હતું.તેના બેંક ખાતામાં ૮ લાખ રૂપિયા અને ૧.૫૦ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા.બિહારના પટનાના પ્લેટફોર્મ પર ભીખ માગનાર પપ્પૂ પૈસાદાર ભિખારીઓની યાદીમાં પાંચમાં ક્રમે છે.એક દુર્ઘટનામાં પપ્પૂએ તેનો પગ ગુમાવી દીધો હતો.બાદમાં તેણે રેલવે સ્ટેશન પર ભીખ માંગવાની શરૂઆત કરી હતી.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પપ્પૂ કુમારની પાસે આશરે ૧.૨૫ કરોડ રૂપિયાની સંપતિ છે.