DICGC સુધારા બિલને કેન્દ્રની મંજુરી મળતા PMC,લક્ષ્મી વિલાસ અને યસ બેંકના ગ્રાહકોને મળશે લાભ
DIAMOND TIMES- કેન્દ્રીય કેબિનેટે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એક્ટ (DICGC) સુધારા બિલને મંજૂરી આપી દેતા હવે પાંચ લાખની થાપણ બેંકમાં સુરક્ષિત રહેશે.ઉલ્લેખનિય છે કે અત્યાર સુધી બેંકમાં જમા એક લાખ રૂપિયા સુધીની થાપણ જ સુરક્ષિત હતી.બિલની મંજૂર બાદ બેંક બંધ થાય કે ડૂબી જાય તો ગ્રાહકોને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ સુરક્ષિત રહેશે.જે 90 દિવસની અંદર થાપણદાર કે ખાતેદારને મળી જશે.સરકારે 2020માં જ ડિપોઝિટ વીમાની મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી હતી.તેને કેબિનેટની મંજૂરી પણ મળી ગઈ છે.પરંતુ તેને સંસદની મંજૂરી બાકી છે.નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું છે કે આ ખરડો સંસદના ચોમાસુ સત્રમાં જ રજૂ કરવામાં આવશે.
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેન્ક 2020માં ડૂબ્યા પછી કેન્દ્રીય બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતા રમણે ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોરપોરેશન (DICGC) એક્ટ, 1961માં સંશોધન કરવાની જાહેરાત કરી હતી.પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે બજેટ સત્ર સ્થગિત કરી દેવાયું હતું.સરકારે ડિપોઝિટ ઈન્શ્યોરન્સમાં 1993 પછી 27 વર્ષમાં પ્રથમવાર ફેરફાર કર્યો છે. વર્તમાન નિર્ણય 4 ફેબ્રુઆરી 2020 થી લાગુ ગણાશે. એટલે કે PMC, લક્ષ્મી વિલાસ અને યસ બેંકના ગ્રાહકોને તેનો લાભ થશે.DICGC એક્ટ 1961 ની કલમ 16 (1) મુજબ જો કોઈ બેંક ડૂબે કે દેવાળું કાઢે તો DICGC દરેક થાપણદારના પેમેન્ટ માટે જવાબદાર હોય છે.જો બેંકની વિવિધ શાખા ઓમાં અકાઉન્ટ હશે તો તમામ અકાઉન્ટમાં ડિપોઝિટ અમાઉન્ટ અને વ્યાજ જોડીને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ જ સુરક્ષિત ગણવામાં આવશે.