મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બનતા તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ

104

ડાયમંડ ટાઈમ્સ
મહારાષ્ટ્રમાં, સરકાર, ધાર્મિક અને રાજકીય, સામાજિક કાર્યક્રમો સહિતના તમામ જાહેર કાર્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રવિવારે તેની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં કોરોના વાયરસના વધતા જતા કેસો પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે રાજ્યમાં એક જ દિવસમાં 6971 કેસ નોંધાયા છે જ્યારે મુંબઇમાં 850 લોકો સંક્રમિત થયા છે.
મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારની તમામ મિટિંગો ઓનલાઇન રહેશે.તેમણે કહ્યું કે કોરોનાના સંક્રમણને રોકવા માટે આગામી 8 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.મહારાષ્ટ્રમાં કોવિડ -19 ફરીથી માથું ઉઠાવી રહ્યો છે.8 થી 15 દિવસમાં, આપણે જાણીશું કે તે બીજી લહેર છે કે નહીં. ઠાકરેએ કહ્યું હતું કે “અમે કોઈ સિંગલ મશીનરી પર વધું ભારણ લાદી શકીએ નહીં. આપણે જવાબદારી લેવી પડશે. અમે એક નવી કેમ્પેઇન ફરી શરૂ કરી રહ્યા છીએ – ‘I am Responsible’ મેં નિતી આયોગની બેઠકમાં કામનો સમય સૂચવ્યો. વિવિધ કામના કલાકો, વર્ક ફ્રોમ હોમ, સેનિટાઇઝરનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટેંન્સિંગ અમારા નવા અભિયાનનો એક ભાગ હશે.